
કેદની જગ્યા નકકી કરવાની સતા
(૧) તે સમયે અમલમાં હોય તેવા કાયદાથી અન્યથા ઠરાવેલ હોય તે સિવાય આ સંહિતા હેઠળ કેદમાં રહેવાને અથવા કસ્ટડીમાં રખાવાને પાત્ર કોઇ વ્યકિતની અટકાયત માટેના સ્થળ વિશે રાજય સરકાર આદેશ આપી શકશે.
(૨) આ સંહિતા હેઠળ કેદમાં રહેવાને કે કસ્ટડીમાં રાખવાને પાત્ર કોઇ વ્યકિત દીવાની જેલમાં અટકાયતમાં હોય તો તેને કેદમાં કે કસ્ટડીમાં રાખવાનો હુકમ કરનાર ન્યાયાલય કે મેજિસ્ટ્રેટ તે વ્યકિતને ફોજદારી જેલમાં લઇ જવાનો આદેશ આપી શકશે.
(૩) પેટા કલમ (૨) હેઠળ કોઇ અટકાયતીને ફોજદારી જેલમાં લઇ જવામાં આવે ત્યારે તેને ત્યાંથી મુકત કરવામાં આવે તે વખતે તેને નીચેના સંજોગો સિવાય દીવાની જેલમાં પાછો મોકલવો જોઇશે.
(એ) તેને ફોજદારી જેલમાં લઇ ગયા પછી ત્રણ વષૅા વીતી ગયા હોય અને તેમ હોય તો તેને દીવાની કાયૅરીતિ અધિનિયમ ૧૯૦૮ (૧૯૦૮નો પમો) ની કલમ-૫૮ હેઠળ દીવાની જેલમાંથી છોડી મૂકવામાં આવેલ હોવાનું ગણાશે અથવા
(બી) જેણે તેને દીવાની જેલમાં રાખવાનો હુકમ કયો હોય તે ન્યાયાલયે ફોજદારી જેલના ઇન્ચાજૅ અધિકારીને દીવાની કાયૅરીતિ અધિનિયમ ૧૯૦૮ (૧૯૦૮નો પમો) ની કલમ-૫૮ હેઠળ તે
Copyright©2023 - HelpLaw